માળીયા મિંયાણા ખાતે ભાજપના નેતા નુપુર શર્માના વિરોધ માં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું

માળીયા મિંયાણા ખાતે ભાજપના નેતા નુપુર શર્માના વિરોધ માં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

થોડા દિવસો પહેલા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિશે વિવાદીત ટીપ્પણી કરવામાં આવી હતી જેથી ઈસ્લામ ધર્મના લોકો માં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. તેનો દેશના તમામ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે માળીયા મિંયાણા ખાતે પીર સૈયદ અલાઉદ્દીન બાપુ ડેલીવાળાની આગેવાની મૌન રેલીનું આયોજન કરાયું હતું અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આ તકે માળીયા મિંયાણા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો,  રાજકીય આગેવાનો, વેપારી સંગઠન સામાન્ય નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ઇકબાલ સંધવાણી ની મોરબી માળીયા મિંયાણા વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ ના કો - ઓર્ડીનેટર તરીકે નીમણુંક

ઇકબાલ સંધવાણી ની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મંત્રી તરીકે નીમણુંક

માળીયા મીયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું